કોમર્સ અને સાહિત્યનો સંગમ એટલે સફળતા : ડો.સતિષભાઈ પટેલ

- text


મોરબીમાં પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં સાહિત્ય ગોષ્ઠિ યોજાઈ

મોરબી : સાહિત્ય અને વ્યાપારને આમ તો જોજનો છેટું છે પરંતુ તાજેતરમાં મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે યોજાયેલ સાહિત્ય ગોષ્ઠિમાં સાહિત્ય વિદ ડો.સતિષભાઈ પટેલે વ્યાપાર સાહિત્યના સંગમ થકી જીવનમાં સફળતા મેળવી શકાતી હોવાના નવા સમીકરણો રજૂ કર્યા હતા.

તાજેતરમાં મોરબીની અગ્રણી પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી મોરબીના જાણીતા બાળરોંગ નિષ્ણાત અને સાહિત્યવિદ તરીકે નામના ધરાવતા ડો.સતિષ પટેલની સાહિત્ય ગોષ્ઠી યોજાઈ હતી. જેમા મુખ્ય મુદા તરીકે કોમર્સ અને સાહિત્ય હતો. આ તકે ડો.સતિષભાઈ પટેલે કોમર્સ અને સાહિત્યનો સંગમ જીવનમાં સફળતાના દ્વાર કેવી રીતે ખોલે છે તેની આગવી શૈલીમાં છણાવટ કરી સૌ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

- text

આચાર્ય ડૉ. રવિન્દ્ ભટ્ટ અને વરિષ્ઠ પ્રાધ્યાપક જિનદાસ ગાંધી તેમજ અનિલભાઈ કંસારા પણ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગોચિત્ત ઊદબોધન કર્યું હતુ. આ કાર્યક્રમ માં કોલેજના તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંતમાં સંસ્થા ના આચાર્ય ડો. રવિન્દ્ ભટ્ટે તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

- text