માળીયા પંથકમાં સૂર્યના અનોખા નજારાએ જગાવ્યું કુતુહલ

- text


માળીયા : માળીયા પંથકમાં સૂર્યના અનોખા નજારાએ લોકોમાં કુતુહલ જગાવ્યું હતું. જેમાં સવારના સૂર્યની ફરતે મોટું રાઉન્ડ દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

- text

પ્રાપ્ત થતી માહિતી મુજબ માળીયા પંથકના માણાબાર, ચીખલી, સુલતાનપુર, અર્જુનનગર, વેજલપર, ખાખરેચી અને કુંભરીયા સહિતના વિસ્તારોમાં આજે સવારે સૂર્યનો અનોખો નજારો જોવા મળ્યો હતો. જેમાં સૂર્યની ફરતે ૧ કલાક સુધી વિચિત્ર રાઉન્ડ જોવા મળતા લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.

 

- text