મોરબીમાં વરમોરા ગ્રૂપના યુવા ઉધોગપતિના જન્મદિને યોજયો રક્તદાન કેમ્પ

- text


પૂ.પ્રેમપકાશજી સ્વામીએ આપ્યા આશીર્વાદ : 178 લોકોએ કર્યું રક્તદાન

મોરબી : વરમોરા ગ્રેનાઇટો પ્રાઇવેટ લીમીટેડનાં ડિરેકટર રમણભાઈ વરમોરાએ તેમના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. પુત્રના જન્મદિને રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરી સમાજને નવો રાહ ચીંધવામાં આવ્યો હતો.

વરમોરા ગ્રેનાઇટો પ્રાઇવેટ લીમીટેડનાં ડિરેકટર રમણભાઈ વરમોરાના પુત્ર હિરેનભાઇ વરમોરાનાં જન્મદિવસ પ્રસંગે સંસ્કારધામ, સ્વામિનારાયણ મંદિર મોરબીનાં સંસ્કાર ઇમેજીંગ સેન્ટરના માધ્યમથી રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ રકતદાન કેમ્પમાં 178 લોકોએ રક્તદાન કર્યું હતું.

- text

હિરેનભાઇનાં જન્મદિવસ પ્રસંગે સ.ગુ.પ્રેમપકાશજી સ્વામી એ આશીર્વાદ આપ્યા હતાં તેમજ વરમોરા પ્રાઇવેટ લીમીટૅડનાં તમામ ડાયરેક્ટર અને કર્મચારીઓએ રકતદાન કરી શુભેચ્છા પાઠવી હતી. ડો. દિલિપભાઇ ચૌહાણની ટીમે કેમ્પની કામગીરી સંભાળી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ ડાયરેકટરો અને તેમનાં મિત્રો અને કર્મચારીઓએ જહેમત ઉપાડી હતી.

- text