- text
ટંકારા : ટંકારાના નાના ખીજડિયા ગામે સીમમાં વિજ શોક લાગવાથી ઇજાગ્રસ્ત થયેલા યુવકને ટંકારા અને રાજકોટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ઘરે લઈ આવ્યા બાદ યુવકનું મોત નીપજ્યું છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના નાના ખીજડિયા ગામે રહેતા અનિલભાઈ નાનજીભાઈ દેત્રોજા ઉ.વ.૩૧ને ગત તા.૯ જૂને તેમની સીમમાં વીજ શોક લાગ્યો હતો. બાદમાં તેઓને ટંકારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારપછી વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત યુવકની હાલતમાં કોઈ સુધારો ન થતા તેઓને ઘરે પરત લઈ આવવામાં આવ્યા હતા. બાદમાં ઘરે યુવકનું મોત નીપજ્યું છે.
- text