મોરબીમાં પત્નીની પુણ્યતિથિએ વૃક્ષારોપણનું પ્રેરક કાર્ય

- text


પરશુરામધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પણ બન્યા સહભાગી

મોરબી : મોરબીના પરશુરામધામ મંદિર ખાતે ભુપતભાઇ પંડ્યા દ્વારા તેમના પત્ની સ્વ.સરોજબેન ભુપતભાઈ પંડ્યાની છ માસિક પુણ્યતિથિ નિમિતે વૃક્ષારોપણ કરીને સમાજને નવો રાહ ચીંધવામાં આવ્યો છે.

સ્વાભાવિક રીતે સ્વજનની પુણ્યતિથિ નિમિતે સૌ કોઈ દાન પુણ્ય કરે છે. વધુમાં સામાજિક કાર્યો પણ કરે છે. પરંતુ મોરબીના ભુપતભાઇ પંડ્યાએ તેમના પત્ની સ્વ.સરોજબેન ભુપતભાઈ પંડ્યાની છ માસિક પુણ્યતિથિ નિમિતે પર્યાવરણ જતનનું અનેરું કાર્ય કરીને સમાજને નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.ભુપતભાઈ પંડ્યાએ તેમની પત્નીની સ્મૃતિમાં વૃક્ષારોપણનું પ્રેરક કાર્ય કર્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમજ બ્રહ્મસમાજના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.

- text

- text