મોરબીમાં ૪૫ આવાસોનો બીજી વખત ડ્રો કરાશે

- text


મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ લીલાપર રોડ પર બનેલા આવસોમાં રહેવાની ૪૫ લાભાર્થીઓએ ના પાડી

મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા આવાસોમાં રહેવાની ૪૫ લાભાર્થીઓએ ના પાડતા આ તમામ આવાસોનો ફરી ડ્રો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મોરબીના લીલાપર રોડ પાસે આવાસો બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા હતા. જેમાં ૧૨૨ લાભાર્થીઓના આવાસ યોજનાના પૈસા બાકી નીકળતા આ તમામને નોટિસ ફટકારવામાં આવી છે

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે ત્યાં રહેતા ૪૫ લાભાર્થીઓએ આવાસમાં રહેવાની ના પાડતા તેમના આવાસોનો ફરી ડ્રો કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજનાના નવા બનેલા અન્ય ૬૦૮ આવાસોનો પણ ડ્રો કરવામાં આવશે.

- text