જોધપર શૈક્ષણિક સંકુલને ફરી ધમધમતું કરવાના ઉદેશથી બેલામાં ૯મીએ ચિંતન શિબિર

- text


મોરબી : હોસ્ટેલ સુવિધા સાથે તદ્દન નજીવી ફી માં શ્રેષ્ઠ શિક્ષણ આપતા જોધપર શૈક્ષણિક સંકુલને પુનઃ ધમધમતું કરવાના ઉદેશ સાથે બેલા- ભરતનગરના ખોખરા હનુમાનજી ધામ ખાતે આગામી ૯ મીએ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જોધપર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓએ રહેવા જમવાની સુવિધા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવતું હતું. આ સંકુલને ફરી શરૂ કરવાના આશયથી તા.૯ ને બુધવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.બેલા- ભરતનગરના ખોખરા હનુમાનજી ધામ ખાતે યોજાનાર આ શિબિરમાં અધ્યક્ષ સ્થાને પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે
આ શિબિરમાં મહામંડલેશ્વર પૂ.માં કનકેશ્વરીદેવીજી આર્શીવચન પાઠવશે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહેશે. શિબિરમાં ડૉ. સતીષભાઈ પટેલ સંસ્થા પરિચય સાથે વક્તવ્ય આપશે.

- text

સમારોહ સંપન્ન થયા બાદ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ અને ઉજજવળ ભવિષ્યની ચિંતા કરવા માટે આ શિબિરમાં પૂરી ગંભીરતાથી ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text