હળવદના ચરાડવા નજીક આઇસરે ઠોકર મારતા એક્ટિવા સવાર શિક્ષિકાનું મોત

- text


મોરબી : હળવદના ચરાડવા નજીક નોકરી પૂરી કરી એક્ટિવા પર ઘરે પરત ફરતા પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની શિક્ષિકાને આઇસરે ઠોકર મારી હતી.આ અકસ્માતમાં શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હળવદ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજે સાંજે નિરાલીબેન મહેશભાઈ નિમાવત (ઉ.વ.૨૩) નામના પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં ટીચિંગ, લર્નિંગ, ફેસીલીટર તરીકે ફરજ બજાવતા શિક્ષિકા એક્ટિવા મારફતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચૈતન્યનગર પ્રાથમિક શાળા પાસે એકટીવાને આઈસર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ શિક્ષિકાનું મોત થયું હતું.

- text

નિરાલીબેન નિમાવત મૂળ સરા નજીકના વીરપરના વતની છે. જેના કુટુંબમાં બે બહેન અને બે ભાઈ હતા, નિરાલીબેનના મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ અકસ્માત અંગે દિનેશભાઈ દયારામભાઈ નિમાવતે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હળવદ પીએસઆઈ બગડા એ વધુ તપાસ ચલાવી છે.

- text