મોરબીમાં સિમ્પોલો સીરામિક્સ દ્વારા કાલે શુક્રવારે સ્વચ્છતા અભિયાન ચલાવાશે

- text


સિમ્પોલો ગ્રૂપના ૧૦૦ કર્મચારીઓ ત્રાજપર ચોકડી થી હાઉસિંગ સર્કલ સુધીના રોડની બન્ને બાજુએ કરશે સાફ સફાઈ

મોરબી : મોરબીમાં સિમ્પોલો સિરામિક્સ દ્વારા આવતીકાલે તારીખ 27ને શુક્રવારે ત્રાજપર ચોકડીથી હાઉસિંગ સર્કલ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ રસ્તાઓની સફાઈ કરશે.

સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપવાના ભાગ રૂપે મોરબીના સીરામીક ક્ષેત્રના જાણીતા ગ્રૂપ સિમ્પોલો સિરામિક્સ દ્વારા આવતીકાલે ત્રાજપર ચોકડીએથી હાઉસિંગ સર્કલ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. સિમ્પોલો જૂથના ૧૦૦ થી વધુ કર્મચારીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને રોડની બન્ને બાજુ સાફ સફાઈ કરશે. સફાઈ અભિયાનમાં જોડાનાર તમામ લોકો શુક્રવારે ૪:૩૦ કલાકે ત્રાજપર ચોકડીએ એકઠા થશે. બાદમાં સાંજે ૫ થી ૭ સુધી સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.

- text

સિમ્પોલો સીરામિક્સના ચેરમેન જીતુભાઇ અઘારાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અને એસ.પી.નો સહયોગ પ્રાપ્ત થયો છે.આ ઉપરાંત આગામી દિવસોમાં મોરબી શહેરમાં સ્વચ્છતા અભિયાનની વિશાળ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. આવતીકાલે ત્રાજપર ચોકડી ખાતે થી યોજાનાર સફાઈ અભિયનમાં જોડાવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ સિમ્પોલો ગ્રૂપના બી.કે.દાશ, કલ્પેશ છાયાની યાદીમાં જણાવાયું છે.

 

- text