- text
મોરબી: મોરબીના ઉંચી માંડલ ગામે પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે બનાવની નોંધ કરી આપઘાત કરવા પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઊંચી માંડલ ગામના રીટાબેન કલ્પેશભાઈ ઝાલા ઉ.વ.૩૦ એ ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો છે.તેમને એક ૬ વર્ષનો પુત્ર છે.આ દંપતી સાસુ સસરા થી અલગ રહેતું હતું. પોલીસે પરિણીતાના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- text
- text