મોરબીના સંસ્કારધામમાં પ્રાકૃતિક જીવન શૈલીની સમજ આપતી આરોગ્ય શિબિર યોજાઈ

- text


મારુ મોરબી સ્વસ્થ મોરબીના શિર્ષક હેઠળ આયોજિત શિબિરમાં ૨૦૦ થી વધુ આરોગ્યપ્રેમીઓ જોડાયા

મોરબી : સંસ્કાર ધામ ખાતે મારુ મોરબી સ્વસ્થ મોરબી ના સૂત્ર સાથે પ્રાકૃતિક જીવનશૈલીની સમજ આપતી આરોગ્ય શિબિર યોજાઈ હતી. જેમાં ૨૦૦ થી વધુ આરોગ્ય પ્રેમીઓએ ભાગ લઇને વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું.

શિબિરમાં આરોગ્યના ત્રણ પાયા હવા ,પાણી અને ખોરાકએ એ ત્રણે વિષયને આવરી લેવામાં આવ્યા હતા. શિબિરના પ્રારંભમાં હૈદ્રાબાદથી આવેલી ટીમે પાણીની ગુણવત્તા , પાણીના વીવધ ઘટકો અને શુદ્ધીકરણના આધુનિક ઉપકરણો ની સમજ આપી હતી.ત્યારબાદ વિવિધ રોગોમાં રસાહાર દ્વારા સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી. દરેક લોકોએ સાથે લાવેલ પાણીના સેમ્પલ ચકાસી આપીને ડો જગદીશ ગજજરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે ડો. જગદીશભાઈ ગજ્જર દ્વારા ખુબ કિફાયતી કિંમતે તૈયાર કરાયેલી અને પીવાના પાણીમાટે જરૂરી બધા ઘટકોને સંતુલીત કરતી એક ડિવાઇસ નું પ્રદર્શન પણ કરાયું હતું .

- text

શિબિરમાં જૂનાગઢથી આવેલા મુખ્ય વક્તા ડો. રેવિનભાઈ પટેલે દિનચર્યા ને પ્રાકૃતિક નિયમો સાથે જોડીને જટિલમાં જટિલ રોગોને પણ નાથી શકવાની સરળ સમજ આપીને વીવીધ રોગીઓનું વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. શિબિરમાં સવારે જ્યુસ , બપોરના રાંધ્યા વગરનું સ્વાદિષ્ટ જમણ અને સમાપન સમયે આરોગ્યપ્રદ નાસ્તાની વ્યવસ્થા ડો જગદીશ ગજ્જરના કુટુંબે કરી હતી.

- text