- text
જાપ, આરતી, વંદન અને સ્વાધ્યાય સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબી : માળીયાના વવણીયા ગામે શ્રીમદ રાજચંદ્ર જન્મભૂમિ ખાતે શ્રીમદ રાજચંદ્રના નિર્વાણ દિન નિમિત્તે આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાપ, સ્વાધ્યાય અને આરતી સહિતના ધાર્મિક કાર્યોથી શ્રીમદ રાજચંદ્રને શ્રદ્ધાંજલિ અપાશે.
વવાણીયા ગામે 5 એપ્રિલ શ્રીમદ રાજચંદ્ર નિર્વાણ દિન નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. શ્રીમદ રાજચંદ્ર જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સવારે ૬ વાગ્યે પ્રાર્થના ઉપરાંત સવારે ૧૦ થી ૧૧:૩૦ તેમજ બપોરે ૪ થી ૫:૩૦ અને સાંજે ૬:૪૫ થી ૯:૧૫ સુધી ભક્તિ અને સ્વાધ્યાયનો કાર્યક્રમ યોજાશે. શ્રીમદ રાજચંદ્રના જીવન પર સ્વાધ્યાય રજુ કરવામાં આવશે. આ સાથે બપોરે ૧:૪૫ થી ૨:૧૫ જાપ તેમજ સાંજે આરતી અને વંદનનો કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા શ્રીમદ રાજચંદ્ર જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ બટુકભાઈ શાહે જાહેર અનુરોધ કર્યો છે.
- text
- text