મોરબીમાં ૧૫મીએ દેશભક્તિ લોકડાયરો યોજાશે

- text


ગૌ શાળાના લાભાર્થે ક્રાંતિકારી સેનાનું અદકેરું આયોજન

મોરબી: મોરબીના શનાળા રોડ પર સમય ગેટ પાસે આવેલા રત્નકલા એક્ષપોર્ટ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૫મીએ ગૌ શાળાના લાભાર્થે ક્રાંતિકારી સેના દ્વારા રાજભા ગઢવીનો ભવ્ય દેશભક્તિ લોકડાયરો યોજાશે.

- text

ગૌ રક્ષા અને દેશમાં એકતા જળવાઈ રહે તેવા હેતુથી કાર્યરત ક્રાંતિકારી સેના દ્વારા મોરબીના શનાળા રોડ પર સમય ગેટ પાસે આવેલા રત્નકલા એક્ષપોર્ટ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૫મી ને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના દેશભક્તિ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌશાળાના લાભાર્થે યોજાનાર આ લોકડાયરમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ લોકડાયરમાં પધારવા ક્રાંતિકારી સેનાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

 

- text