મોરબીના રફાળેશ્વરમાં આંબેડકર નગરમાં મહિલાને માર મારતા ફરિયાદ

- text


મોરબી : મોરબીના રફાળેશ્વરમાં આવેલ આંબેડકર નગરમાં રહેતા મહિલાને ત્રણ શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી અંજલીબેન ભુપતભાઇ ભંખોડીયા ઉ.વ-૨૫ ધંધો-ઘરકામ રહે.રફાળેશ્વર આંબેડકર નગર શેરી નં-૨ તા.જી. મોરબી વાળાને આરોપી (૧) ભાવેશ કિશોરભાઇ સુમેસરા (૨) ધર્મેશ કિશોરભાઇ સુમેસરા (૩) કિશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા રહે.ત્રણેય રફાળેશ્વર આંબેડકરનગર તા.જી.મોરબી વાળાએ કોઇપણ કારણ વગર ગાળો આપી ઘોડીયાના પાયા વડે આરોપી નં-૨ નાએ પગમાં મારતા તેમજ આરોપી નં-૧ નાએ માથામાં પાટુ મારતા આરોપી નં-૩ ના લાકડાનો ધોકો હાથમાં લઇ આવતા આરોપીઓ મારતા મુંઢ ઇજા થતા તેમજ મારી નાખવાની ધમકી આપતા મ્હે.જીલ્લા મેજી.સા મોરબી ના જાહેર નામાનો ભંગ કરતા એક બીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text