મોરબીમાં ૧૨મીએ ઝૂલતા પુલ નજીક બાવળવાળા માતાજીનો માંડવો

- text


સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશ રાવળ માતાજીના ડાક ડમ્મરની રમઝટ બોલાવશે

મોરબી: મોરબીમાં બાવળવારા મેલડી માતાજીના મંદિરે આગામી ૧૨મીએ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશ રાવળ ડાક ડમ્મરની રમઝટ બોલાવશે.

- text

મોરબીના ઝૂલતા પુલ નજીક હીરોના શો રૂમ નીચે અશોકાલયના ઢાર પાસે આવેલા બાવળવાળા મેલડી માતાજી મંદિરે આગામી તા.૧૨ ને ગુરુવારના રોજ રાત્રે ૮ કલાકે માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.માંડવામાં સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશ રાવળ માતાજીના ડાક દ ડમ્મરની રમઝટ બોલાવશે. આ માંડવામાં માતાજીના ભક્તો તેમજ ભુવાઓ વીશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. બાવળવાળા મેલડી મિત્ર મંડળ દ્વારા ૧૨ મીએ યોજાનાર માતાજીના માંડવામાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text