મોરબીમાં વ્યાજના વિષચક્રમાં યુવાને દવા ગટગટાવી

- text


મોરબી : મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા કંસારા યુવાને ગઈકાલે સાંજે ત્રિકોણબાગ નજીક ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક નજીક કંસારા શેરીમાં રહેતા જયદેવ કંસારા ઉ.૨૬ નામના યુવાને ગઈકાલે મોરબીના ત્રિકોણબાગ નજીક ઘાસમાં નાખવાની દવા તથા ફીનાઇલ ગટગટાવી લીધી હતી.

- text

વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં દવા પી લેનાર જયદેવ કંસારાએ પ્રતીક દશરથભાઈ પાસેથી પાંચ માસની મુદતે નાણાં લીધા હતા જે નાણાં પ્રતિકે પરત માંગતા પોતે નાણાં આપી શકે તેમ ન હોય ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text