થોરાળા ઉમીયા સોશીયલ ગ્રુપ મોરબી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજયો

- text


મોરબી : મોરબી શહેરમાં વસવાટ કરતા થોરાળા ગામના ઉમીયા પરીવારના લોકો દ્વારા લોકોનો શનાળા પટેલ સમાજ વાડી ખાતે પ્રથમ સ્નેહમીલન કાર્યક્રમ તાજેતરમાં યોજયો હતો. આ સ્નેહમીલન કાર્યક્રમમાં શરૂઆતમાં થોરાળાના ઉદ્યોગપતિશ્રી કચરાબાપા અંબાણી દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુંભાંરભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થીત મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે થોરાળાએ મારા વડવાઓનું ગામ છે અને સમાજના લોકો ભેગા થઈ સમાજ ઉથ્થાન માટે કોઈકાર્ય કરે તો તેમા મારો કાયમી સહયોગ રહેલો હોય છે. અને ધારાસભ્ય તરીકે હુ કાયમને માટે કામ કરવા તત્પર રહીશ.

- text

આ પ્રસંગે પ્રાસંગીક ઉદબોધનમાં ગામના નિવૃત કર્મચારી શ્રીરૂગનાથભાઈ ફુલતરીયાએ તેમના બાળપણ વખતના થોરાળા ગામની પરસ્થિતી વર્ણવી હતી અને અત્યારના યુવાવર્ગને ફેશન અને વ્યશન છોડવા ભલામણ કરી હતી. જ્યારે નિવૃત કર્મચારીશ્રી વલ્લમજીભાઈ મેરજાએ મોરબી શહેરમાં વસતા થોરાળા ગામના કુટુંબોની વિગત આપી હતી.

આ તકે દાતા કુટુંબનું તેમજ મહાનુંભાવોનું સાલ ઓઢાડી સમાજનાં આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આવતી શાલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહીત કરી શકાય તે માટેનું આયોજન થાય તેવું આગેવાનો દ્વારા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જમણવાર બાદ રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- text