પાકિસ્તાનમાં બે યુવાનોની હત્યા મામલે મોરબીમાં મહેશ્વરી સમાજ દ્વારા આવેદન

- text


પાકિસ્તાનમાં બે માહેશ્વરી સમાજના યુવાનોની થયેલી હત્યા મામલે મોરબીમાં મહેશ્વરી સમાજના લોકોએ નહેરુગેઇટ થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યું હતું

- text

થરી માહેશ્વરી સમાજ મોરબીએ કૉલેક્ટર મારફત પીએમ મોદી ને આવેદન આપીને જણાવ્યુ હતું કે,તાજેતરમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના થર પાકર જીલ્લા માં આવેલ મીઠી ગામમાં અજાણ્યા હત્યારાઓ દ્વારા લઘુમતી થરી માહેશ્વરી સમુદાયના બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી.આ બનાવથી ભારતમાં રહેતા માહેશ્વરી સમાજમાં ઘેરા આઘાતની લાગણી જન્મી છે.અને આ નિષ્ઠુર હત્યારાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી અને પાકિસ્તાનમાં વસતા આ લઘુમતી સમુદાય વિશે ચિંતા હોય અમારો સમાજ બંને મૃતક ભાઈઓના પરિવારોને પાકિસ્તાન સરકાર પાસેથી ન્યાય આપવવા માટે રાજદારી સંબંધો દ્વારા યોગય પગલાં લેવાની માંગ કરી છે.

- text