મોરબીમાં ઓવરબ્રિઝ ઉપર કલરકામ કરતી વેળાએ પડી જતા યુવાનનું મોત

- text


ટંકારાના બંગાવડીમાં આદિવાસી પરણીતાનું મોત

મોરબી અપડેટ : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ ઓવરબ્રિઝ ઉપર કલરકામ કરતી વેળાએ પડી જતા મુસ્લિમ યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે ટંકારાના બંગાવડીમાં આદિવાસી પરણીતાનું મોત નિપજયું હતું.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીમાં સર્કીટ હાઉસ સામે આવેલ મફતિયા પરામાં રહેતા અને ત્રાજપર ઓવરબ્રિજમાં કલર કામ કરતા મહમદ અરમાનભાઈ મહમદ હુસેનભાઈ શેખ (ઉ.૩૦) ત્રાજપર ચાર રસ્તા નજીક કલર કામ કરી રહ્યા હતા ત્યારે પડી હતા ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પીટલે ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જયારે અન્ય બીજા બનાવમાં ટંકારાના બંગાવડી ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતા આદિવાસી મહિલા દીનાબેન ભેરુભાઈ ઉ.૨૪ નું ખેતરમાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર મોત નિપજતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text