મોરબીના લાલપર ગામે કેનાલમાંથી યુવાનની લાશ મળી

- text


મોરબી : લાલપર ગામ નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના લાલપર પાસે આવેલા સીરામીક કારખાનામાં કામ કરતો અરુણ કુમાર ઉર્ફે અનનું બીરબલ ચૌહાણ ઉ વ 28 હોવાની ઓળખ મળી છે અને તેનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે આ બનાવ અકસ્માતનો છે કે આપઘાત નો તે અંગે સઘન તપાસ ચાલી રહી છે.

- text