મોરબીમાં યુવકની હત્યા કરનાર એક ઝડપાયો

- text


ત્રણેક દિવસ પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું : બીજો આરોપી રાજકોટ સારવાર

મોરબી:મોરબીના ભડિયાદ કતા નજીક ગઈકાલે યુવાનની કરપીણ હત્યા કરવાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યારા બે ભાઈઓ પૈકી એકને ઝડપી લીધો છે જ્યારે બીજો આરોપી રાજકોટ સારવારમાં હોય બાદમાં ધરપકડ કરાશે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ કાંટા નજીક ગતરાત્રીના જવાહર સોસાયટીમાં રહેતા પ્રકાશ દેવજીભાઈ વણોલ નામના યુવાનની કરપીણ હત્યા થઈ હતી,પોલીસે આ બનાવનો ભેદ ઉકેલી નાખી મૃતક પ્રકાશના ભાઈ મહેશ દેવજીભાઈ વણોલની ફરિયાદના આધારે ભડિયાદ કાંટા પાસે રહેતા ઉદય ઉર્ફે પ્રભુ બાબુ સુરેલા અને અશોક બાબુ સુરેલા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.
વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેક દિવસ પહેલા મૃતક પ્રકાશને ઉદય સાથે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી ગતરાત્રીના બંને આરોપીઓ રીક્ષા લઈને આવ્યા હતા અને પ્રકાશના બાઇક સાથે રીક્ષા અથળાવી બન્ને શખ્સો તૂટી પડ્યા હતા અને પ્રકાશને ૧૦ જેટલા છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મામલે પોલીસે હત્યારા અશોક સુરેલાને ઝડપી લેવામાં સફળતા મેળવી છે જ્યારે ઉદય ઉર્ફે પ્રભુ ઘાયલ થયો હોય રાજકોટ સારવાર હેઠળ હોય તેની બાદમાં ધરપકડ કરાશે.
હાલ પોલોસ હત્યાનું ચોક્કસ કારણ જાણવા આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને બીજો આરોપી ઝડપાયા બાદ જ હત્યાનું સાચું કારણ બહાર આવે તેમ હોવાનું મનાય રહ્યું છે.

- text

- text