મોરબી જલારામ સેવા મંડળ દ્વારા બે બીનવારસી મૃતદેહો અંતિમ સંસ્કાર કરાયા.

- text


મોરબી:મોરબી શહેરના શ્રી જલારામ સેવા મંડળ- શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા કોઈ પણ જાત ના નાત જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા મા આવે છે. તેમા ની એક સેવા છે બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર આજે સંસ્થા દ્વારા બે બિનવારસુ મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

- text

જલારામ સેવા મંડળ રઘુવીર સેનાના આગેવાનો દ્વારા બે બીનવારસી મૃતદેહો ના લીલાપર રોડ સ્થીત વિદ્યુત સ્મશાન ખાતે હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. આ ભગીરથ કાર્યમા ગીરીશ ભાઈ ઘેલાણી,ચિરાગ રાચ્છ, ફીરોઝ ભાઈ,ભાવીન ઘેલાણી,વિપુલ પંડીત સહીતના આગેવાનો જોડાયા હોવાનું જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું હતું.

- text