મોરબી પોલીસે બીનવારસી કબજે થયેલ ટુ અને ફોર વ્હિલર વાહનો હરરાજી કરાશે

- text


જો આ અંગે કોઈને કોઈને વાંધો હોયતો પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરવો

મોરબી : મોરબી સીટી એ.ડીવી પોલીસ સ્ટેશન ખાતે સને ૧૯૯૩ થી ૨૦૧૫ દરમ્યાન બીનવારસી મળી આવેલ ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર જી.પી. એકટ ૮૨(૨) મુજબ બીનવારસી કબ્જે કરવામાં આવેલ છે.
આજદીન સુધી સદરહુ બીનવારસી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર છોડાવવા માટે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દવારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આવા ટુ અને ફોર વ્હીલર વાહનોની મેજી.શ્રી મોરબી એ ઉપર મુજબના કુલ-૮૦ બીનવારસી મુદામાલના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર નિયમોનુસાર હરરાજી કરી નિકાલ કરવા મંજુરી આપતો હુકમ કરેલ છે આ અંગે કોઈને કાઈ વાંધો હોય કે વધુ જાણકારીની જરૂર હોયતો પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ.ડીવી પોલીસ સ્ટેશન નો રૂબરૂ સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયુ છે.

- text

- text