મોરબી જિલ્લામાં ૪૭ પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢતા જિલ્લા પોલીસ વડા

- text


મોરબી:મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે વધુ એક બદલીનો ઘાણવો કાઢી એક સાથે ૪૭ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા થોડા સમય અગાઉ પોલીસ કર્મચારીઓને દિવાળીનું બોનસ આપીને બઢતીના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ચુંટણી નજીક છે જેને ધ્યાને લઈને બદલીનો દોર તમામ વિભાગોમાં ચાલુ છે ત્યારે મોરબી જીલ્લા પોલીસવડાએ ૪૭ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપ્યા છે.
આ બદલી હુકમ અંતર્ગત મોરબી એ ડી-વીઝન, બી-ડીવીઝન ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા સહિતના પોલીસ મથકો તેમજ એલસીબી જેવી બ્રાંચમાં ફરજ બજાવતા કુલ ૪૭ પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.

પ્રતીકાત્મક ફોટો

- text