મોરબી જલારામ મંદીર ખાતે અન્નક્ષેત્ર ની પ્રથમ વર્ષગાંઠ ની ઉજવણી

- text


વેશભુષા સ્પર્ધા મહાપ્રસાદનું આયોજન

મોરબી:મોરબી શહેર મા વિવિધ પ્રકાર ની માનવ સેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા ગત જલારામ જયંતિ ના દીવસ થી દરરોજ સાંજે સર્વજ્ઞાતિય મહાપ્રસાદ ની વ્યવસ્થા શરૂ કરવા મા આવી છે. જેમા દરરોજ આશરે ૨૫૦ થી ૩૦૦ લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આ અન્નક્ષેત્ર ને આગામી તા ૨૭-૧૦ને શુક્રવાર ના રોજ એક વર્ષ પૂર્ણ થતુ હોય તેની ઉજવણી ભવ્યતા થી કરવાનુ આયોજન કરવા મા આવ્યુ છે.

- text

જે અંતર્ગત સાંજે ૫ કલાકે ૫ થી ૧૫ વર્ષ ના સર્વ જ્ઞાતિય બાળકો માટે વેશભુષા સ્પર્ધા નુ આયોજન કરવા મા આવેલ છે. જેમા બાળકો એ પૂજ્ય જલારામ બાપા, વીરબાઇ મા, હરીરામ બાપા, ભોજલ રામ બાપા સહીત ના કોઇ પણ સાધુસંતો નો વેશ ધારણ કરવાનો રહેશે. જેમા પ્રથમ ત્રણ ક્રમાંક મેળવવાર સ્પર્ધકો ને ભવ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકો ને આશ્વાસન ઈનામ આપવામા આવશે. સ્પર્ધા મા ભાગ લેવા ઈચ્છુક સર્વજ્ઞાતિય ભક્તજનો એ રાજુભાઈ ગણાત્રા-૯૯૨૫૪૬૫૮૭૩ પર સંપર્ક કરી નામ નોંધાવવાનુ રહેશે. સ્પર્ધા મા નોંધણી વિનામુલ્યે કરવા મા આવશે.સ્પર્ધા સંપન્ન થયા બાદ સર્વજ્ઞાતિય મહાપ્રસાદ યોજાશે.

ઉપરાંત હરહંમેશ મોરબી જલારામ મંદીર દ્વારા જલારામ જયંતિ ની વિશેષ ઉજવણી કરવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ ઉજવણી કરવા મા આવશે. જેની રૂપરેખા આગામી સપ્તાહે જાહેર કરવા મા આવશે તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text