મોરબી : નળીયા ના કારખાનામા વિજશોક લાગતા આશાસ્પદ યુવાનનુ મોત

- text


એક ના એક પુત્ર નુ મોત થતા પરીવાર પર આભ તૂટી પડ્યું

મોરબી : મોરબીના જેલ રોડ પર આવેલ નળિયાના કારખાનામાં કામ કરતા બ્રાહ્મણ યુવાનને વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે,મૃતક યુવાન એક નો એક પુત્ર હોય આ ઘટનાથી માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.
મળતી વિગત અનુસાર મોરબીના જેલ રોડ પર આવેલા લોકમાન્ય ટાઈલ્સ પ્રા.લી. નામના નળીયાના કારખાનામા કામ કરતા વાંકાનેરના મનીષ શામજીભાઈ બ્રાહ્મણ ઉ.૩૦ નામના યુવાનને ગઈકાલે મોડીરાત્રીના ૧૦.૨૦ ની આસપાસ લાઈટનુ કામ કરતો હતોએ દરમ્યાન વિજશોક લાગતા મોત નિપજ્યુ હતુ.
આ ઘટનાની જાણ પરીવારજનોને થતા પિતા સહીત ના પરીવારજનો સિવીલ હોસ્પીટલ દોડી આવ્યા હતા જેમા પરીવારજનોના જણાવ્યા અનુસાર યુવાન જે કારખાનામા કામ કરતો તેનુ બાજુમા બંધ પડેલા પેપરમીલ મા લાઈટ નુ કામ કરવા જવાનુ કહેતા એ કામ દરમ્યાન આ બનાવ બન્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ.
મૃતકના પરીવારજનો આવ્યા બાદ પીએમ સહીત ની કાર્યવાહી હાથ ધરી હતી તે ઉપરાંત આશાસ્પદ યુવાન મનીષ શામજીભાઈ નો એક નો એક પુત્ર હોય બ્રાહ્મણ પરીવાર પર આભ ફાટી પડયું હતું.વધુમાં મૃતક યુવાન ના પિતા મજુરી કરી પોતાનુ ઘર નુ ગુજરાન ચલાવે છે એવામાં એક ના એક યુવાન પુત્ર નુ મૃત્યુ થતા પરીવારજનો શોક મા ગરક થઈ ગયા છે. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે અને આ મામલે વધુ તોએ આર.બી.વ્યાસે હાથ ધરી છે.

- text

- text