મોરબીમાં નવજીવન સ્કુલ ખાતે બુધવારે વિજ્ઞાન- ગણિત પ્રદર્શન યોજાશે

- text


મોરબી : મોરબીમાં જિલ્લા શિક્ષણાધિકારી અને તાલિમ ભવન રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી, શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ તેમજ મોરબી નવજીવન વિધ્યાલય દ્વારા આવતી કાલે બુધવારે વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2017-18નું સવારે 8:30 થી 4 વાગ્યા સુધી નવજીવન સ્કુલ ખાતે આયોજન કરવામા.આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના તમામ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ ભાગ લઈને પોતાની વિજ્ઞાન અને ગણિતની ક્રૂતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમનું ઉદઘાટન મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.દવેના હસ્તે સવારે 9 કલાકે થશે. તેમજ જિલ્લા તાલીમ ભવન રાજકોટના ચેતનાબેન વ્યાસ, સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા,વીસી હાઇસ્કુલના વીડજા સર, ધાર્મિષ્ઠાબેન કડિવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શનનો લાભ લેવા નવજીવન વિધ્યાલય દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

- text