- text
મોરબી : મોરબી નવજીવન વિદ્યાલયના બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ અંતર્ગત પૂજ્ય ગણપતિબાપાની સુંદર મૂર્તિ બનાવી પોતાની આંતરિક કલાસૂઝના દર્શન કરાવ્યા છે. મનોહર,આકર્ષક ભાવયુક્ત મૂર્તિ બનાવવા બદલ શાળા સંચાલકો અતુલભાઈ પટેલ અને આચાર્ય દ્વારા ધોરણ 1 થી 10ના બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
- text