ટંકારામાં પરણીતાનો ઝેરી દવા પી આપઘાત

- text


ટંકારા :  લજાઈ ચોકડી પાસે રહેતી મનિષાબેન સુનીલભાઈ નિનામા (ઉ.21) આદિવાસી પરણીતાએ ગઈ કાલે પોતાના ઘરે અગમ્ય કારણો સર ઝેરી દવા પી જતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયી હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ટંકારા તાલુકા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 3 મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. તેથી ફરિયાદ નોંધી આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text