વાંકાનેર : ટોલ ટેક્સ ન ભરવા બાબતે ઉદ્યોગપતિ પર હુમલો

- text


વાંકાનેર પાસેના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ન ભરવા ઉદ્યોગપતિએ અરજી કરી હતી. એ બાબતનો જુનો ખાર રાખી વઘાસીયા ગામમાં રહેતા આરોપીઓએ ગાળો આપી ઉદ્યોગપતિને ધોકા વડે માર માર્યાની ફરિયાદ ગઈ કાલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધણી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોરબી કેનાલ રોડ પાસે વર્ધમાન રેસી.માં રહેતા રાજેશભાઈ જીવરાજભાઈ લીઠીયા (ઉ.૩૮)ને રોજ વઘાસીયા ટોલ નાકે અવર જવર થતી હોય છે. તેથી થોડા સમય પહેલા રાજેશભાઈએ અને બીજા ઉદ્યોગપતિએ ત્યાં ટોલ નાકે ટેક્સ ન ભરવા માટે અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી ત્યાં બેસતા વઘાસીયા ગામના રાજનભાઈ, તેનો ભાણેજ અને ૪ અજાણ્યા શખ્સોએ તા.૧૯-૮ ના રોજ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીને ગાળો આપી ઢીકા પાટું અને ધોકા વડે માર માર્યો હતો. જેથી રાજેશભાઈને ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા હતા. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text