મોરબી નગરપાલિકાના કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન અપાયું

- text


મોરબી : મોરબી નગરપાલિકામાં ગેરેજ વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થતા ગઈકાલે તેમને સમારોહ યોજી વિદાયમાન આપવામાં આવ્યું હતું.

- text

મોરબી નગરપાલિકામાં ગેરેજ વિભાગમાં ફરજ બજાવતા ગીરીશભાઈ પંડ્યા તથા કિરીટસિંહ ઝાલા વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનું બહુમાન કરી વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ તકે નગરપાલિકા નિયામક શ્રી બારહટ સાહેબ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા સમગ્ર આયોજન ને સફળ બનાવવા ફાયર વિભાગના દીપકસિંહ જાડેજા,વિનયભાઈ ભટ્ટ,કાર્તિક ભટ્ટ,જયપાલસિંહ જાડેજા અને રતિલાલ ચૌહાણ સહિતના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાઈ હતી.

- text