મોરબી : કોલેજના વિદ્યાર્થીઓએ પોકેટ મનીની રકમ પુરપીડિતો માટે દાનમાં આપી

- text


દાનની રકમ પુરપીડિત વિસ્તારના બાળકો માટે શૈક્ષણિક કીટ માટે વપરાશે

મોરબી : મોરબીની વી.વી.આઈ.એમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુરપીડિત વિસ્તારના બાળકોને મદદ માટે પોકેટમની ની રકમ દાનમાં આપવામાં આવી હતી.
પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકોને શૈક્ષણિક કીટ આપવા જુદા જુદા સંગઠનો દ્વારા થઇ રહેલી કામગીરી જોતા કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમની વાપરવાનો બદલે ઉમદા કાર્ય માટે દાનમાંઆપી હતી. કોલેજના વિદ્યાર્થીઓના પ્રશસનીય કાર્ય બદલ કોલેજ ના ટ્રસ્ટી સુમંતભાઇ પટેલ,ભવ્યદીપસિંહ જેઠવા તેમજ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા અને નિર્મિત કકકડ સહિતના કોલેજના સર્વ સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

- text