મોરબી : ભરવાડ અને દરબાર સમાજનાં લોકોએ કલેકટરની અપીલ સ્વીકારી શાંતિ જાળવવાની બાહેંધરી આપી

- text


આજ રોજ કલેકટરશ્રીએ હળવદ જૂથ અથડામણ અંગે બોલાવેલી મીટીંગ સફળ

હળવદમાં ૨ દિવસ અગાઉ થયેલા જૂથ અથડામણની ઘટના બાદ ઠેરઠેર અજંપાભરી સ્થિતિ સર્જાય ગઈ હતી ત્યારે આજ રોજ મોરબી કલેકટર આઈ.કે પટેલ અને અધિક કલેકટર પી.જી. પટેલની અધ્યક્ષતા ભરવાડ સમાજ અને દરબાર સમાજનાં આગેવાનોની એક મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં બંને સમાજનાં આગેવાનો સાથે કલેકટરશ્રીએ વાતચીત કરી શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરી હતી. કલેકટરશ્રીની અપીલ બંને સમાજનાં આગેવાનોએ સ્વીકારી મોરબી જિલ્લામાં શાંતિ અને સલામતી જાળવવાની ખાત્રી આપી છે. આમ, જૂથ અથડામણ બાદ ભરવાડ અને દરબાર સમાજનાં લોકો શાંતિ જાળવવા સહેમત થયા છે અને કલેકટરશ્રીએ બોલાવેલી મીટીંગ સફળ રહી છે.

- text