મોરબી : અમરનાથ યાત્રાના દિવંગતોને અંજલી પાઠવાઈ

- text


અમરનાથ યાત્રાળુ આતંકવાદીનો ભોગ બન્યા છે ત્યારે એ ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આજ રોજ નેહરુ ગેઈટ, નગર દરવાજા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૌ કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

મોરબી શહેર કોંગ્રેસ આતંકવાદનો ભોગ બનેલા દિવંગતોના આત્માની શાંતિ માટે સાંજે નહેરુ ગેઇટ ચોકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં દિવંગતને શ્રદ્ધાસુમન અર્પણ કરીને આતંકવાદી સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જયંતીભાઈ પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા ,જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, , મુકેશભાઈ ગામી, અમુભાઈ હુંબલ સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text