વાંકાનેર : બે દિવસ અગાઉ નદીમાં લાપત્તા થયેલ યુવકની લાશ મળી

- text


સરતાનપર પાસે વહેતી માટેલીયા નદીમાં બુઝાયો કુળદીપક

મોરબી જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને કારણે લગભગ તમામ નદી નાળા-ચેકડેમો ભરાઈને છલકાઈ ગયા હતા. તમામ નદીઓમાં પાણીનો પ્રવાહ પણ સારા પ્રમાણમાં વહેતો હતો ત્યારે આ પ્રવાહમાં પરપ્રાંતથી પેટીયું રડવા આવેલા માતા-પુત્રમાંથી પુત્ર નદી પાર કરવા જતા લાપત્તા બન્યા બાદ બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે.
આજરોજ વાંકાનેર પંથકના સરતાનપર ગામની સીમમાં માટેલીયા નદીના કાઠે આવેલ રમેશ વેરસીભાઇ ઉડેચાની વાડી પાસે કોઈ યુવકની લાશ નદીમાં તરતી જોવા મળતા ગામના સરપંચે તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા ઢુવા પોલીસ ચોકીના મહેન્દ્રસિંહ અને તેના રાઈટર ઘટના સ્થળે પહોચી યુવકની લાશ બહાર કાઢી તેની ભાળ મેળવવાની કવાયત હાથ ધરી હતી. યુવકના મૃતદેહ મળ્યાની વાત વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ જતા ઢુવાના રીયોન કારખાનામાં મજૂરી કરતા અન પરપ્રાંતથી પુત્ર સાથે રહેવા આવેલ માતા દુધીબેને તુરંત તાલુકા પોલીસનો સંપર્ક કરી ઘટનાસ્થળે પહોચ્યા હતા. જ્યાં પહોચી યુવકની લાશ જોતા જ માતા પાડી ભાંગ્ય હતા. આ મૃતક પુત્ર રાહુલ સુમેરભાઈ ચમાર (ઉ.વ. ૨૪) માતા સાથે કારખાનામાં રહે છે અને બે દિવસ અગાઉ આવેલા વરસાદના દિવસથી રાહુલ કારખાનેથી ઘરે પરત ફરેલો નહિ. માતાએ પુત્રની ભાળ મેળવવા છેલ્લા બે દિવસથી આસપાસના કારખાનાઓ તેમજ અન્ય સગાસંબંધીમાં તપાસ કરેલી પરંતુ કોઈ જ ભાળ મળી ન હતી અને આજરોજ તેને જીવિત મળવાને બદલે મૃતદેહ મળ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ ધસમતા પ્રવાહ સાથે વહેલી માટેલીયા નદીમાં રસ્તો પાર કરવા ઉતાર્યો હશે અને પગ લપસી જતા વહેણમાં તણાયો હશે તેવું અનુમાન કાઢ્યું છે.

- text

- text