ટંકારાની કોર્ટ પરિસરમાં જજ સાહેબ અને વકીલોએ વૃક્ષારોપણ કર્યું

- text


ટંકારાની કોર્ટ પરિસરમાં જજ સાહેબ અને વકિલો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. આવનાર દિવસોમાં કોર્ટની લોબિ હરીયાળી બની રહેશે. મેઘરાજાએ હવે આકાશમાથી અમિછાટણા સાથે ધરતી પર અવતરણ કર્યું છે ત્યારે થોડા દિવસમા ધરતી લીલી ચુદડી ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળશે. આથી ટંકારા સિવીલ કોર્ટમાં આજે જજશ્રી એન. કે. યાદવ સાહેબની આગેવાનીમાં કોર્ટ પરિસરમા ૧૫ જેટલા વૃક્ષોનુ વાવેતર કર્યું હતું. આ તકે રજીસ્ટાર જાનીભાઈ, મોરબી બાર એસોસીએશન ટંકારાના વકીલ મિત્રો સંજય ભાગિયા, અમિત જાની, નિમાવત ભાઈ, રાજુ પાટડીયા, RFO કુડારીયા સહિત કોર્ટના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.⁠⁠⁠⁠

- text