ટંકારા : ક્ષત્રિય સમાજ દ્વારા અનામત મુદ્દે સવર્ણ જ્ઞાતિને થતા અન્યાય બાબતે મામલતદારને આવેદન

- text


ટંકારા : અનામતના જુદા અર્થઘટનથી સવર્ણ જ્ઞાતિને થતો અન્યાય દૂર કરવા ક્ષત્રિય સમાજે સહી ઝૂબેશ ચલાવી આ બાબતે ટંકારા મામલતદારને આવેદન પાઠવ્યું છે. જેમાં એકને ખોળ એકને ગોળની નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે.

સરકારની અનામત નીતિમાં ગેર અનામતના બાળકોને હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યાના અહેસાસ વચ્ચે ટંકારા ક્ષત્રિય સમાજ હવે આ નીતિના વિરોધમાં ઊભું થયું છે. દરબાર સમાજે અનામતના મુદ્દે અન્યાયને કેમ સાખી લેવાય તે માટે ગામડે ગામડે સહી ઝૂબેશ કરી ગઈ કાલે અંદાજે પાંચેક હજાર સહી સાથેનું એક આવેદન ૭૦ જેટલા સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું. તેમજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આ આવેદન મોકલવામાં આવ્યું હતું. આમ ગુજરાતભરમાં આ માંગને મજબૂત કરાશે. આવેદન પત્રમાં અનામતનીતિના અર્થઘટન પ્રમાણે મિનિમમ ગેરેટી હોવી જોઈએ અને નિરાધાર વિધવા સહાય જે હજારની જગ્યાએ ૫૦૦૦ કરવા અને અન્ય સેવકોના માનદ વેતનમાં વેતનમાં વધારો કરવો જણાવવામાં આવ્યું⁠⁠⁠⁠ છે.

- text

- text