મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની ૨ જુલાઇએ સાધારણ સભા

- text


મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા તા.૨ જુલાઇના રોજ બપોરે ૩વાગ્યે મચ્છોયા આહીર સમાજવાડી, નવલખી રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. આથી મોરબી જિલ્લાના આહીર જ્ઞાતિના તમામ કર્મચારીઓને આ સાધારણસભામાં ઉપસ્થિત રહેવા મંડળ વતી નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાધારણસભામાં ગત વર્ષની કામગીરીની સમીક્ષા, ગત વર્ષના નાણાકીય હિસાબની સમીક્ષા, આગામી વર્ષના હોદ્દેદારોની નિયુકતિ અને આગામી વર્ષના કાર્યોની ચર્ચા અને અન્ય ઉપસ્થિત મુદાઓની ચર્ચા કરવામાં આવશે એવું મંત્રી મયુરભાઈ એમ. ગાજીયા અને પ્રમુખ પ્રો. રામભાઈ વારોતરીયા જણાવ્યું છે.

- text

- text