જડેશ્વરથી વાંકાનેર જતા રસ્તા પર વણાંક પર ઢોળાયેલી કપચીથી અકસ્માતનો ભય

- text


વાકાંનેરથી થોડે દૂર જડેશ્વર નજીક રમણીય વડસર તળાવ આવેલ છે. આ તળાવનું હમણાં જ સરકારશ્રી દ્વારા તળાવની વોલ બનાવવાનું કામ પુર્ણ કર્યું. તે સારી બાબત છે અહી પ્રવાસીઓના સહેલ ગાહે આવતા રહે છે. ત્યાં અેકદમ રોડનો વળાંક વળતો હોવાથી આજુબાજુમાં “સ્ટોન કસર” હોવાથી ત્યાંથી કપચી,મેટલના ચાલતા ડંપરો પુરપાટ ઝડપે વળાંક લેતા હોવાથી રોડ પર જ ઢોળાય છે. જે જીવલેણ સાબિત થશે. બીજા અનેક વાહન પસાર થતા હોવાથી તે પથ્થર બંદુકની ગોળીની જેમ તેની માથે આવે છે. આ બાબતે કલેક્ટરશ્રી અે જાહેરનામું પણ બહાર પાડેલ છે કે ટ્રકો કે ડંમ્પર પર નેટ બાંધવી પણ સરા જાહેર જાહેરનામાનો ઉલંધન કરી રહાયા છે. આ બાબતે અેક જાગૃત નાગરીક અને સમાજસેવક જગદિશભાઈ કોબીયા અે વાકાનેર પ્રાંત અધિકારીશ્રી મુંછાર સાહેબને લેખિત જાણ કરી છે કે ટુંક સમયમાં જ શ્રાવણમાસ શરુ થતો હોવાથી રાહદારીઅોનો આ રોડ પર ધસારો રહેશે તે આશયથી રોડ પર કોઈ અકસ્માતનો ભોગ ન બને તેની તકેદારી આપ સહેબશ્રીની રહેશે તેમ જણાવ્યું હતું

 

- text