મોરબી : જિલ્લા પોલીસ વડાએ 33 જેટલા પોલીસ કર્મીઓની બદલીનો હુકમ કર્યો

- text


મોરબી : જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા આજે જીલ્લાના વિવિધ પોલીસમથકોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં જીલ્લામાં ફરજ બજાવતા કુલ ૩૩ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં એલસીબી અને એસઓજીના ત્રણ પોલીસ, કર્મચારી દ્વારા જણાવેલ સ્થળે બદલી પામેલા ૧૨ પોલીસકર્મીઓ, રજૂઆતને આધારે બદલી પામેલા ૧૩ પોલીસ કર્મચારી અને જાહેરહિતમાં ૫ મળીને કુલ ૩૩ પોલીસકર્મીની બદલીના આદેશો આપવામાં આવ્યા છે. જયારે ચાર પોલીસકર્મીની બદલી હાલ રદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ આ બદલી વહીવટી સરલતાના કારણે કરી હોવાનું જણાવ્યું છે.

- text

- text