મોરબી : માનસિક બીમારીથી કંટાળી પરિણીતાનો આપઘાત

- text


સામાકાંઠે વિદ્યુતનગરમાં રહેતી પરપ્રાંતીય પરણીતાએ ગળેફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના વતની અનિતાલિંગા કેદારલિંગા ખંડાયત નામની 34 વર્ષની પરણીતાએ આજે બપોરે પોતાના ઘરે રસોડામાં પંખા સાથે લટકી જય આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પરિણીતાનો પતિ અહીં સિરામિકમાં કામ કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરણિતાએ માનસિક બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો છે. મોરબી જિલ્લામાં ગળેફાંસો ખાઈ આપઘાતની આ 24 કલાકમાં 3જી ઘટના બનતા અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

- text