મોરબી : અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળશે

- text


મોરબીમાં ભરવાડ-રબારી સમાજનું પ્રતિક મોરબીવાળા મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન ૨૫ જુન અષાઢી બીજનાં રોજ મચ્છુ માતાજીનું મંદિર, મચ્છુબારી, દરબાર ગઢ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શોભાયાત્રા દરમિયાન સંતદર્શન થશે અને ભાવેશભાઈ ભરવાડ એન્ડ ગ્રુપ, કિરણબેન મકવાણા અને ઈનુશ શેખ જેવા નામી કલાકારો રાસની રમજટ બોલાવશે. આ ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગતશ્રી ગાંડુભગત બીજલભગત ગોલતર શ્રી મચ્છુ મિત્ર મંડળ તરફથી આ પાવન પ્રસંગે શોભાયાત્રા, લોકડાયરામાં અને મહાપ્રસાદ તથા ચા-પાણીનો લાભ લેવાં સમસ્ત લોકોને જણાવવામાં આવ્યું છે.

- text

- text