વાંકાનેર : વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


વાંકાનેર : શ્રી વરિયા પ્રજાપતિ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રજાપતિ સમાજ દ્વારા ૧૮ જુનને રવિવારના રોજ વરીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે ૯મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ધોરણ ૧થી કોલેજ કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા. આ અવસરે સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વાર શ્રી નકલંક ધામ હડમતિયાના મહંત શ્રી મેહુલદાસજી બાપુએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ પ્રજાપતિ (મિટ્ટીકુલ), પ્રકાશભાઈ ધરોડીયા (લાયન), ગોપાલભાઈ ધરોડીયા અને વાંકાનેરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.⁠⁠⁠⁠

 

- text