હળવદ : પાણીના ટાંકામાં પડી પરિણીતાનો આપઘાત

- text


સાસરિયા સામે મારવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના મહાદેવ નગરમાં રહેતી પટેલ પરણીતાએ પોતાના જ ઘરે પાણીના ટાંકામાં પડી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં પરિણીતાના પિતાએ સાસરીયા સામે પોતાની દીકરીને ત્રાસ આપી મારવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જુના ઘાટીલા ગમે રહેતા ધન્યામભાઇ ઉરજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે પોતાની દીકરી સંતોષબેન ચેતન્યભાઈ વાઘરોળીયાને તેના પતિ ચેતન્યભાઇ પ્રવીણભાઈ વાઘરોળીયા, સાસુ જોષનાબેન પ્રવીણભાઈ વાઘરોળીયા, સસરા પ્રવીણભાઈ માવજીભાઈ વાઘરોળીયા દ્વારા અવારનવાર કરિયાવર બાબતે મેણાંટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી પોતાની દીકરીએ ઘરના પાણીના ટાંકામાં પડી આપઘાત કરી લીધાનું જણાવાયું છે. હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text