મોરબી : ૪૨ વિધવાઓને આર્થિક સહાય કરતું લોહાણા મહાજન અને લોહાણા મહાપરિષદ

- text


મોરબી લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાપરિષદનાં સહયોગથી શહેરની ૪૨ વિધવા રઘુવંશી મહિલાઓને સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ વિધવા રઘુવંશી મહિલાઓને દર મહિને આ મુજબ મોરબી લોહાણા મહાજન અને લોહાણા મહાપરિષદ તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નવીનભાઈ રાચ્છ, નરેદ્ર રાચ્છ, જે.એલ. પુજારા, અશોકભાઈ પાવાગઢી, નિર્મિત કક્કડ સહિત રઘુવંશીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text