મોરબી : જેતપર રોડ પર ગમખ્વાર અકસ્માત : 2 યુવકોના કરુણ મોત

- text


ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક સવાર બંને યુવાનોના ઘટના સ્થેળે જ મોત

મોરબી : મોરબી – જેતપર રોડ પર વિરાટ નાગરથી આગળ એલિકોન સીરામીક ફેક્ટરી પાસે ગઈ કાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક સવાર બંને આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ગઈકાલે સાંજના સમયે રાજીવનગર પીપળીયાના રહેવાશી મોતી ભરવાડ અને વિશાલ ઉર્ફે વીરો ભરવાડ બંને બાઈક નં જીજે ૩ એચ એચ ૧૭૬૦ પર મોરબી- જેતપર રોડ પર જતા હતા ત્યારે સામેથી પુરપાટ વેગે આવતા ટ્રક નં આરજે ૨૪ જીએ ૦૭૭૭ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારતા બંને યુવાન ફંગોળાઈ ગયા હતા જેમાં ગંભીર ઇજા થવાથી બંને યુવાનના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

- text