મોરબી : પથદર્શક ૨૦૧૭ કારકિર્દી સેમિનાર યોજાયો

- text


મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે ‘પથદર્શક – ૨૦૧૭’ કારકિર્દી માર્ગદર્શન ફ્રી સેમિનારનું આયોજન તા.૨૭ મેનાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં દિગંતભાઈ ભટ્ટ, હિરેનભાઈ નથવાણી, સિદ્ધાર્થભાઈ ફૂલતરીયા, ડેનીશભાઈ કાનાબાર અને સાર્થક વિધાલયના ટ્રસ્ટી કિશોરભાઈ શુકલએ  ધોરણ ૧૦ પછીના અભ્યાસક્રમો અને વિવિધ કોર્ષની માહિતી આપી હતી.

- text