મોરબી પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે 31મીએ બોર્ડ બોલાવાશે

- text


ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત માટે 27મીએ અને પ્રમુખ માટે 31મીએ બોર્ડ

મોરબી : મોરબી નગરપાલિકામાં વિરોધપક્ષ કોંગ્રેસના ૨૨ જેટલા સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા આ મુદ્દે પાલિકા પ્રમુખ દ્વારા આગામી 27મીએ ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત માટે બોર્ડ બોલાવાયા બાદ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત માટે બીજું બોર્ડ 31મીએ બોલાવનો નિર્ણય લેવાયો છે.
મોરબી નગરપાલિકાના કુલ બાવન સદસ્યોમાંથી કોંગ્રેસના ૨૨ સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સામે વહીવટી અણઆવડત, વિવિધ સમિતિઓની રચના કરવામાં નિષ્ફળતા અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાનું કારણ બતાવી પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને ઉપપ્રમુખ અનિલ મહેતાને હોદા પરથી દુર કરવાની દરખાસ્ત ગત 19મી મેએ મૂકી હતી. જેમાં નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત મુક્યા ના ૧૫ દિવસની અંદર પાલિકા પ્રમુખે બોર્ડ બોલવાનું હોય છે. ત્યારે પાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ દ્વારા આગામી 27મીએ ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત માટે બોર્ડ બોલાવાનો નિર્ણય લીધા બાદ આજે પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત માટે બીજું બોર્ડ 31મી તારીખે બુધવારના રોહ સવારે 11.00 વાગ્યે બોર્ડ બોલવાનો નિર્ણય લિવાયો છે. આમ પેહલા 27મીએ ઉપ્રમુખ ના પારખા થશે અને 31મીએ પ્રમુખ ના પારખા થશે. નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે જરૂરી ૩૩ ટકા સભ્યના સમર્થન સાથે હાલ કોંગ્રેસે દરખાસ્ત છે. હવે આ અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવા માટે ૬૬ ટકા સભ્યોનું એટલે કે બાવન માંથી ૩૫ સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે.

- text

- text