હડમતિયા : બૌધ્ધવિધિ અનુસાર ૧૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

- text


ટંકારા : હડમતિયા ગામ નજીક આવેલ “આપા પાલણપીરધામ” (મેડી) ખાતે પાલણપીરના સાનિધ્યમાં પહેલીવાર દલીત સમાજનાં સમૂહલગ્નનું આયોજન “પાલણપીર મેઘવાડ સમાજ ટ્રસ્ટ” અને મોરબી જિલ્લા દલીત સમાજ સમૂહલગ્ન સમિતિના સહયોગથી સવંત ૨૦૭૩ના વૈશાખવદ ૧૪ને ગુરૂવારનાં રોજ તા.૨૫/૫/૨૦૧૭ સવારે ૮:૦૦ કલાકે⁠ કરવામાં આવ્યું છે.⁠⁠⁠ પાલણધામ, હળમતિયા મુકામે યોજાયેલા દલિત સમાજનાં આ સમૂહલગ્નમાં બૌધ્ધવિધિ અનુસાર ૧૦ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. આ અંગે વધુ માહિતી ૮૧૪૧૯ ૯૦૦૦૯, ૭૪૦૫૦ ૫૦૧૫૨, ૯૮૭૯૮ ૩૬૩૩૩ નંબર પર સંપર્ક કરી મેળવી શકાશે.

- text

- text