નીચી માંડલ પાસેથી રાતભેરના યુવાનની સળગેલી હાલતમાં લાશ મળી આવી

- text



પોલીસ તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું બહાર આવ્યું

- text

મોરબી : નીચી માંડલ ગામની સીમમાં તલાવડી પાસેથી આજે યુવાનની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં લાશ રાતભેર ગામના દલીત યુવાન ભલાભાઈ હરખાભાઈ સોલંકી (ઉ.વ 23 ) ની હોવાનું અને યુવાને જાતે અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથક ના પી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે આ બનાવ આપઘાતનો છે. મૃતક યુવાન મોરબી ના પીપળી રોડ પર આવેલા કારખાના માં કામ કરતો હતો ગઈકાલે તે પોતાના બાઈક પર કામે ગયો હતો પરંતુ સાંજે ઘરે પાછો આવ્યો ન હતો આથી તેમના પરિવાર જનો તેની શોધખોળ કરતા હતા.તે દરમ્યાન નીચી માંડલ પાસે થી તેની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના સ્થળે થી બળેલું પેટ્રોલનું ડબલું ,પાકીટ સહીત ની ચીજ વસ્તુઓ મળી આવી છે. આ યુવાનના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસે યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text